TV9 GUJARATI | Edited By: Pinak Shukla
Feb 07, 2022 | 7:24 AM
વિપરીત કરણી : ઘણી વખત પેટ સંબધીત તકલીફના કારણે પણ ઉંઘ નથી આવતી હોતી. આ આસન કરવાથી પેટની તકલીફોમાં રાહત મળે છે. આ વ્યાયામના નિયમિત અભ્યાસથી તમરૂ પાચન તંત્ર મજબુત થશે. ભુખ પણ વધશે. આ સમય પહેલા વાળને સફેદ થતા રોકશે.
ઉત્તાનાસન : તમારી પીઠ, ખંભા અને ગરદનમાં આવેલી અકળ અને માંસપેસીના દુખાવામાં રાહત આપે, સાથે વિચારવાયુ જેવી તકલીફમાં પણ રાહત રહે.ઉત્તરાસન લોહીના સર્કુલેશન સુધારવામાં પણ મદદ કરે છે.સાથે ઉંઘ પણ સારી આવે છે.
શવાસન યોગ : ઉંઘ ન આવવા અથવા અધુરી ઉંઘ જેવી તકલીફને દુર કરવામાં યોગ ખુબ કારગર છે. આ યોગ મનને શાંત કરશે અને તમને સારી ઉંઘ આવશે.
બાલાસન : ઘણી સ્વાસ્થય બાબતની તકલીફમાં આ આસન ખુબ મદદ કરે છે, ઉપરાંત આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.આ આસનને કરવું પણ સરળ છે.
Published On - 6:57 am, Mon, 7 February 22