
આ શોમાં 9 વાયુ સેનાના જહાજો સામેલ હતા. ભારતીય વાયુસેનાએ કર્તવ દરમ્યાન મેદાન પર ત્રિરંગો ધ્વજ પણ બનાવ્યો હતો. આ એરફોર્સ શોનો અવાજ એટલો જોરદાર હતો કે મેદાન પર પોતાના કામમાં વ્યસ્ત ભારતીય ખેલાડીઓ પણ દંગ રહી ગયા અને તેમનું ધ્યાન આકાશ તરફ ગયું.

ભારતીય ટીમના ચાહકોને ક્રિકેટરો પર ઘણી આશાઓ છે. સમગ્ર દેશમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમા પર છે કારણ કે આજે ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે. ભારતની જીત માટે સમગ્ર દેશની આશા ટીમ પર ટકેલી છે.
Published On - 6:18 pm, Sun, 19 November 23