
ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં હમણા સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત ત્યાં પહોંચનાર પહેલો દેશ બની શકે છે. પણ ચંદ્રના આ ભાગમાં લેન્ડિંગ કરવુ ઘણુ મુશ્કેલ છે. કારણ કે ત્યાં ખાડા વધારે છે.

ચંદ્રના વાતાવરણને કારણે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રથી માણસ અજ્ઞાત છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવના ઊંડા ખાડાઓમાં બરફના અણુઓના સંકેત મળ્યા છે. ચંદ્રયાન-1થી ભારતને ચંદ્ર પર પાણી હોવાના સંકેત મળ્યા હતા. આ ક્ષેત્ર પર સૂર્યનો પ્રકાશ ઘણો ઓછો પહોંચે છે. તાપમાન ઓછું હોવાથી ત્યાં પાણી હોવાની સંભાવના પણ વધારે છે. ચંદ્ર પર પાણીની શોધથી ભવિષ્યના મોટા પ્રોજક્ટના રસ્તાઓ ખુલશે.
Published On - 9:32 am, Fri, 14 July 23