Assam Floods: આસામમાં દર વર્ષે કેમ આવે છે ભયંકર પૂર? જાણો પૂરથી થતી તબાહી પાછળના 3 કારણ
Assam Floods: કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અસમની સુંદરતા દર વર્ષે ભયકંર પૂરને કારણે છીનવાય જાય છે. અસમમાં દર વર્ષે પૂરને કારણે ખતરનાક તબાહી સર્જાય છે. ચાલો જાણીએ કેમ અસમમાં દર વર્ષે આવે છે પૂર.
1 / 5
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આસામની સુંદરતા દર વર્ષે ભયકંર પૂરને કારણે છીનવાય જાય છે. આસામમાં દર વર્ષે પૂરને કારણે ખતરનાક તબાહી સર્જાય છે. હાલમાં પણ આસામમાં પૂર આવ્યુ છે, જેના કારણે આસામના ઘણા જીલ્લા જળમગ્ન થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે હમણા સુધી લગભગ 71 લોકોના મોત થયા છે. ભારતીય સેનાએ રેસ્ક્યુ કરીને હજારો લોકોને પૂરમાંથી બચાવ્યા છે. આસામમાં આવી પૂરની સ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે.
2 / 5
નેશનલ ફ્લડ કમિશન અનુસાર આસામનો 31,500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. પૂરનું મુખ્ય કારણ પહાડો પરથી આવતું પાણી છે. એક રિપોર્ટ અનુસાર પહાડો પરથી આવતા પાણીને કારણે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે. જેથી પૂરનું આ સૌથી મોટું કારણ છે.
3 / 5
આસામનું કુલ ક્ષેત્રફળ 78,438 વર્ગ કિમી છે. તેની 40 ટકા જનતા પૂર પ્રભાવિત છે. આસામનો પહાડી ભાગ ભૂટાન અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલો છે. તિબ્બતથી નીકળતી નદીઓ અરુણાચલ થઈને આસામમાં વહે છે. આસામની બ્રહ્મુપુત્ર નદી બીજી 49 સહાયક નદી સાથે જોડાયેલી છે. જે પૂરનું કારણ બને છે અને તબાહી સર્જાય છે.
4 / 5
ભૌગોલિક રીતે આસામ એક એવા ઝોનમાં આવે છે, જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. દેશના બીજા રાજ્યો કરતા આસામમાં વધારે વરસાદ પડે છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વધારે વરસાદ પડવાને કારણે બ્રહ્મુપુત્ર નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર વધે છે અને તબાહી સર્જાય છે. હાલમાં આસામમાં છેલ્લા 7 દિવસમાં સામાન્યથી 125 ટકા વધારે વરસાદ પડયો છે.
5 / 5
વધતી જતી જનસંખ્યા અને કપાતા જંગલો પણ આ પૂરના કારણો છે. જંગલમાં વૃક્ષો કપાવાને કારણે માટીની પકડ નબળી પડી જાય છે અને પૂર સમયે તે માટી પણ પાણી સાથે વહી જાય છે.