
વિલિસ કહે છે કે, આકાશમાં મુસાફરી કરતી વખતે, વિમાનની અંદર અને બહાર બંને જગ્યાએ હવાનું દબાણ ખૂબ હોય છે. બારીઓ લંબગોળ હોવાથી, ઉડાન દરમિયાન હવાના દબાણમાં વારંવાર ફેરફાર થવાને કારણે બારીઓને નુકસાન થવાનું જોખમ લગભગ કઈ રહેતું નથી. આ ઉપરાંત, વિમાનની ગતિ વધવા અને વધુ ઊંચાઈએ ઉડવાને કારણે આ દબાણ વધુ વધે છે.

1950 પહેલા, વિમાનો ધીમી ગતિએ ઉડતા હતા, જે વધુ બળતણનો વપરાશ કરતા હતા અને ખર્ચાળ હતા. જેમ જેમ વિમાનમાં મુસાફરી કરવાનો ટ્રેન્ડ વધતો ગયો, તેમ તેમ એરલાઇન્સે બળતણનો ખર્ચ ઘટાડવા માટે તેમની ગતિ વધારી. ગતિ વધે ત્યારે વધેલા દબાણને ઘટાડવા માટે લંબગોળ બારીઓ લગાવવાનું શરૂ થયું. આનું બીજું એક કારણ છે. ચોરસ બારીઓ કરતાં લંબગોળ બારીઓ વધુ સુંદર દેખાય છે. આ તેમનો પ્લસ પોઈન્ટ છે.