
જ્યારે પ્લેન રનવે પર ઉતરે છે ત્યારે તેની સ્પીડ 200 થી 300 કિમી પ્રતિ કલાક હોય છે, છતાં તેના ટાયર લોખંડની જેમ અડીખમ રહે છે.

આપણી કાર કે બાઈકના ટાયર નાનકડી ખીલીથી પંચર થઈ જાય છે, પરંતુ પ્લેનના ટાયર ટનબંધ વજનને એક ઝાટકે સહન કરી લે છે.

પ્લેનના ટાયરમાં સામાન્ય હવા નહીં, પણ શુદ્ધ 'નાઈટ્રોજન' ગેસ ભરવામાં આવે છે, જે તેને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

લેન્ડિંગ વખતે ટાયર અને રનવે વચ્ચે ભારે ઘર્ષણ થાય છે, નાઈટ્રોજન સુકી ગેસ હોવાથી તે ગરમીમાં પણ પ્રસરતી નથી અને વિસ્ફોટ રોકે છે.

આ ટાયરો માત્ર રબરના નથી હોતા, તેમાં નાયલોન, સ્ટીલ અને 'કેવલર' જેવા મજબૂત મટીરિયલના અનેક લેયર્સ લગાવવામાં આવે છે.

પ્લેનના ટાયરમાં સામાન્ય વાહનો કરતા 6ગણું વધુ પ્રેશર રાખવામાં આવે છે, જે તેને પથ્થર જેવી મજબૂતી આપે છે.

દરેક ઉડાન પહેલા એન્જિનિયરો ટાયરના એક-એક કટ અને પ્રેશરની તપાસ કરે છે, જરા પણ શંકા લાગે તો તરત બદલી દેવાય છે.

વિમાનમાં હંમેશા વધારાના ટાયર હોય છે, જેથી જો કદાચ એક ટાયરમાં ખામી સર્જાય તો પણ સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં ન મુકાય.