
ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેંકે દેશના ચલણમાં સૌથી મોટા રૂપિયા 2000 ના મૂલ્યની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ સરકારી ફરમાન સાથે સ્થાનિક બેંકો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ ચલણી નોટ પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. લોકો માંગ અને જરૂરિયાતના આધારે આ સમયમર્યાદા બાદમાં વધારીને 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવી હતી.

બાકી 2000ની નોટો માટે આરબીઆઈએ 8 ઓક્ટોબર 2023થી રિઝર્વ બેન્કની ઓફિસમાં એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ રાખી છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે 2000ની ગુલાબી નોટો કાયદેસરની છે અને તે 19 RBI ઓફિસોમાં ઉપલબ્ધ છે જે અમદાવાદ સહિતની કેચેરીઓમાં નોટ જમા કરાવી શકે છે.

સરકારે ચલણમાં રહેલી 500 અને 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય પણ લીધો હતી. આ બાદ સેન્ટ્રલ બેન્કે નવેમ્બર 2016માં 2,000 મૂલ્યની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2018-19માં 2,000ની નોટનું પ્રિન્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું
Published On - 8:28 am, Wed, 3 January 24