
સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )