
મળતી માહિતી મુજબ આ મંદિરને બનાવવામાં 28 વર્ષનો સમય લાગ્યો હતો. રાજા સૂર્યવર્મન II એ દિવાકર પંડિત નામના બ્રાહ્મણની વિનંતી પર આ મંદિર બનાવવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે રાજાના મૃત્યુ પછી તરત જ કામ બંધ થઈ ગયું, જેના કારણે મંદિરની ફિનિશિંગ અને ડેકોરેશન અધૂરું રહી ગયું હતું.

ત્યાર બાદ નવા રાજા જયવર્મન VII દ્વારા આ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે દરમિયાન કંબોડિયામાં બૌદ્ધ ધર્મનો ફેલાવો શરૂ થયો અને રાજાએ તે ધર્મ અપનાવ્યો. ત્યારબાદ અંગકોર વાટ પણ ધીમે ધીમે બૌદ્ધ સ્થળમાં ફેરવાઈ ગયું.

કંબોડિયામાં યુએસ એમ્બેસીની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, કંબોડિયાના સંસ્કૃતિ અને ધર્મ મંત્રાલય અનુસાર, આ દેશમાં 93 ટકા બૌદ્ધ લોકો છે. જ્યારે બાકીના સાત ટકા ખ્રિસ્તીઓ, મુસ્લિમો, યહૂદી વગેરે છે આ દેશના આંકડામાં હિન્દુઓનો ઉલ્લેખ નથી. (Image - Freepik)