
22 ડિસેમ્બર, 1851ના રોજ દેશની પ્રથમ માલગાડી દોડી હતી. આ માલગાડી રૂરકી અને પીરાન કાલિયાર વચ્ચે દોડી હતી. આ વિસ્તાર હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં છે.

ભારતની પ્રથમ માલગાડીનું એન્જિન ઈંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યું હતું. આ વરાળથી ચાલતું એન્જિન હતું. આ ટ્રેનમાં માત્ર બે બોગી હતી. આ ટ્રેનને રૂરકીથી લગભગ 10 કિલોમીટર દૂર પીરાન કાલિયાર સુધીનું અંતર કાપવામાં 38 મિનિટનો સમય લાગ્યો હતો, એટલે કે આ ટ્રેન માત્ર 6.44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.

ગંગા નહેર નિર્માણ પ્રોજેક્ટ માટે દેશની પ્રથમ માલગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં માટી અને બાંધકામ સામગ્રી ભરીને રૂરકીથી પીરાન કલિયાર મોકલવામાં આવી હતી. (Image - freepik)