ભારતની પ્રથમ માલગાડી ક્યારે અને ક્યા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ?

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. રેલવે સમગ્ર દેશને એકસાથે જોડે છે. એટલું જ નહીં, પરંતુ પરિવહનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દેશમાં પ્રથમ ટ્રેન ક્યારે દોડી હતી, તેની કહાની તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં પહેલી માલગાડી ક્યારે દોડી હતી ?

| Updated on: Dec 24, 2024 | 6:24 PM
4 / 6
22 ડિસેમ્બર, 1851ના રોજ દેશની પ્રથમ માલગાડી દોડી હતી. આ માલગાડી રૂરકી અને પીરાન કાલિયાર વચ્ચે દોડી હતી. આ વિસ્તાર હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં છે.

22 ડિસેમ્બર, 1851ના રોજ દેશની પ્રથમ માલગાડી દોડી હતી. આ માલગાડી રૂરકી અને પીરાન કાલિયાર વચ્ચે દોડી હતી. આ વિસ્તાર હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં છે.

5 / 6
ભારતની પ્રથમ માલગાડીનું એન્જિન ઈંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યું હતું. આ વરાળથી ચાલતું એન્જિન હતું. આ ટ્રેનમાં માત્ર બે બોગી હતી. આ ટ્રેનને રૂરકીથી લગભગ 10 કિલોમીટર દૂર પીરાન કાલિયાર સુધીનું અંતર કાપવામાં 38 મિનિટનો સમય લાગ્યો હતો, એટલે કે આ ટ્રેન માત્ર 6.44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.

ભારતની પ્રથમ માલગાડીનું એન્જિન ઈંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યું હતું. આ વરાળથી ચાલતું એન્જિન હતું. આ ટ્રેનમાં માત્ર બે બોગી હતી. આ ટ્રેનને રૂરકીથી લગભગ 10 કિલોમીટર દૂર પીરાન કાલિયાર સુધીનું અંતર કાપવામાં 38 મિનિટનો સમય લાગ્યો હતો, એટલે કે આ ટ્રેન માત્ર 6.44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.

6 / 6
ગંગા નહેર નિર્માણ પ્રોજેક્ટ માટે દેશની પ્રથમ માલગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં માટી અને બાંધકામ સામગ્રી ભરીને રૂરકીથી પીરાન કલિયાર મોકલવામાં આવી હતી. (Image - freepik)

ગંગા નહેર નિર્માણ પ્રોજેક્ટ માટે દેશની પ્રથમ માલગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં માટી અને બાંધકામ સામગ્રી ભરીને રૂરકીથી પીરાન કલિયાર મોકલવામાં આવી હતી. (Image - freepik)