
વિમાનમાં બેઠા હોઈએ ત્યારે વાદળો ઉપરથી જોતા ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે વિમાન કેટલી ઝડપે ઉડે છે. તેની ગતિ કાર કે ટ્રેન કરતાં ઘણી વધુ હોય છે. વિમાનની ઝડપ માત્ર રોમાંચ માટે નહીં, પણ વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને સલામતીના નિયમો પર આધારિત હોય છે. આ કારણે હવાઈ મુસાફરી ઝડપી અને વિશ્વસનીય બને છે. ( Credits: AI Generated )

વિમાનની ઝડપ હંમેશા એક જેવી નથી રહેતી. તે કયા પ્રકારનું વિમાન છે, કેટલી ઊંચાઈએ ઉડે છે અને એન્જિન કેટલુ શક્તિશાળી છે, તેના પર ગતિ નિર્ભર કરે છે. સામાન્ય મુસાફરી માટેનું વિમાન જ્યારે ઉડાન ભરે છે, ત્યારે રનવે પર દોડતી વખતે તેની ઝડપ લગભગ 250–300 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે. ( Credits: AI Generated )

જ્યારે વિમાન જરૂરી ઝડપ સુધી પહોંચી જાય છે, ત્યારે તેની પાંખો પૂરતી લિફ્ટ બનાવી તેને હવામાં ઉંચું રાખે છે. યોગ્ય ઊંચાઈ પર પહોંચ્યા પછી વિમાન સ્થિર ગતિએ ઉડવાનું શરૂ કરે છે, જેને ક્રુઝ સ્પીડ કહે છે. સામાન્ય રીતે મુસાફરી માટેના જેટ વિમાનો લગભગ 800થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. ( Credits: AI Generated )

કેટલાક મોટા વિમાનો વધુમાં વધુ લગભગ 900–950 કિમી પ્રતિ કલાક સુધી ઉડી શકે છે, પરંતુ ઇંધણ બચત અને સુરક્ષા માટે તેઓ સામાન્ય રીતે ઓછી ગતિ રાખે છે. જ્યારે વિમાન ગંતવ્ય સ્થળ પાસે પહોંચે છે, ત્યારે લેન્ડિંગ માટે તેની ઝડપ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. ( Credits: AI Generated )

વિમાન જ્યારે લેન્ડિંગ કરે છે ત્યારે તેની ઝડપ સામાન્ય રીતે લગભગ 230 થી 260 કિમી પ્રતિ કલાક રાખવામાં આવે છે. આ ગતિ સુરક્ષિત રીતે રનવે પર ઉતરવા માટે યોગ્ય માનવામાં આવે છે. જો ઝડપ વધારે હોય તો લેન્ડિંગ જોખમી બની શકે છે, તેથી નિયંત્રિત ગતિ જ રાખવામાં આવે છે. ( Credits: AI Generated )

મુસાફરો માટેના સામાન્ય વિમાનો અવાજની ગતિથી ધીમા ઉડે છે, પરંતુ ફાઇટર જેટ ખૂબ જ ઝડપથી ઉડી શકે છે. કેટલાક લડાકૂ વિમાનો લગભગ 2000થી 2500 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે. આ ઝડપ ધ્વનિની ગતિ કરતાં પણ વધુ હોય છે, જે અંદાજે 1235 કિમી પ્રતિ કલાક જેટલી છે. ( Credits: AI Generated )

ઇતિહાસમાં એક સુપરસોનિક મુસાફરી વિમાન પણ હતું, જે ખૂબ ઊંચી ઝડપે લગભગ 2,180 કિમી પ્રતિ કલાક ઉડી શકતું હતું. પરંતુ ઇંધણનો વધારે ખર્ચ અને જાળવણી મોંઘી હોવાથી તે હવે સેવામાં નથી. ( Credits: AI Generated )

વિમાન કેટલી ઝડપે ઉડે છે તે માત્ર એન્જિન પર આધારિત નથી. પવન, હવામાન, ઊંચાઈ અને વિમાનનું વજન પણ તેની ગતિને અસર કરે છે. સુરક્ષિત અને ઇંધણ બચતવાળી મુસાફરી માટે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ ટીમ ગતિને ધ્યાનથી નિયંત્રિત કરે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )