
કનેક્ટિવિટી સમસ્યાઓ દૂર કરે: જો તમે Wi-Fi, બ્લૂટૂથ અથવા સેલ્યુલર ડેટા કનેક્ટિવિટીમાં સમસ્યા અનુભવી રહ્યા છો, તો તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી ઘણીવાર સમસ્યા હલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારા ફોનને Wi-Fi સાથે કનેક્ટ કર્યો છે, પરંતુ ઇન્ટરનેટ હજુ પણ કામ કરતું નથી. ઘણા લોકોને લાગે છે કે તે Wi-Fi સમસ્યા છે, પરંતુ ક્યારેક બીજા ફોનના હોટસ્પોટ સાથે કનેક્ટ થવાથી પણ ફોન કામ કરી શકતો નથી. ફોનને રીસ્ટાર્ટ કરીને આ કનેક્ટિવિટી સમસ્યાને ઉકેલી શકાય છે.

ફોન હેંગ થવાની સમસ્યા દૂર થાય : જો તમારો ફોન વધુ પડતો હેંગ થઈ રહ્યો હોય, તો તેને રીસ્ટાર્ટ કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમારો ફોન હેંગ થઈ રહ્યો હોય, તો તેનું કારણ નક્કી કરો અને સમસ્યાનું નિરાકરણ કરો.

તમારે તમારા ફોનને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ?: નિષ્ણાતો કહે છે કે તમારા ફોનને સરળતાથી ચાલતો રાખવા માટે, તમારે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત રીસ્ટાર્ટ કરવો જોઈએ. જ્યારે મોબાઇલ કોમ્યુનિકેશન કંપની T-Mobile અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત iPhones અને Android સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે, ત્યારે મોટી મોબાઇલ કંપની Samsung તેના Galaxy ફોનને દરરોજ રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે.