
અહીં રાહદારીઓ માટે પણ વિશેષ સગવડ ઉભી કરવામાં આવી છે અને વ્યુઇંગ ગેલેરીની સુવિધા પણ તૈયાર કરાઈ છે. યાત્રિકો વાહન સિવાય ચાલીને તથા સાયકલ તેમજ ગોલ્ફ કાર્ટથી પણ પસાર થઈ શકાશે. રાહદારી યાત્રિકોને માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણીને માણવા મળશે.

સ્થાનિકો પ્રતિભાવ જણાવી રહ્યા છે કે, અમારે મેડિકલ સહિતની સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સ્થાનિકો અને યાત્રિકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેમાં હવે રાહત મળશે.

યાત્રિકો પણ હવે બેટ દ્વારકા દર્શને આવવા માટે હવે ઓછા સમયમાં જ પહોંચી શકશે. યાત્રિકો ફેરી બોટના બદલે સુંદર બ્રિજનો લાભ મેળવીને ઝડપથી દર્શન કરવા પહોંચી શકશે.

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, આ દરમિયાન દ્વારકાના સુંદર અને ભારતના લાંબા કેબલ સ્ટેયડ બ્રિજને ખુલ્લો મુકનાર છે.

આ બ્રિજને ખુલ્લો મુકવા માટે અહીં આવતા યાત્રાળુઓ રાહ જોઇ રહ્યા હતા. જે રાહનો હવે અંત આગામી 25મી ફેબ્રુઆરીએ આવી જનારો છે.