
આ પહેલનો ઉદ્દેશ્ય કંપનીના મૂલ્યાંકનમાં સુધારો કરવાનો અને તેની પેરેન્ટ કંપની વેદાંતા રિસોર્સિસ પર વધતા દેવું ઘટાડવાનો છે. જો કંપનીના લેણદારો 18 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપે છે, તો તેને શેરધારકોની મંજૂરી માટે આગળ મૂકવામાં આવશે. સેમિકન્ડક્ટર યુનિટને કંપનીના હાલના બિઝનેસની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોપર કંપનીઓ સાથે મૂકવામાં આવશે.

વેદાંતા કંપનીના ડિમર્જર પ્લાનને કારણે શેરબજારની મુવમેન્ટમાં ફરક આવી શકે છે. ખાસ કરીને ખાણ અને ખનિજ ક્ષેત્રની કંપનીઓમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. રોકાણકારો આના પર નજર રાખશે. જો કે, ડિમર્જર યોજના વેદાંતા માટે ખોટમાં પડેલો સોદો નથી, તેથી તેને શેરબજારમાં ઘટાડાના ભય તરીકે જોઈ શકાય નહીં.
Published On - 12:24 pm, Tue, 18 February 25