
આને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન રેલ પણ શરૂ કરી છે જેથી ખેડૂતો ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તેમના ઉત્પાદનો દેશના દૂર-દૂરના વિસ્તારોમાં મોકલી શકે. સરકારનું આ મોડલ સફળ સાબિત થઈ રહ્યું છે. દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં પણ કિસાન રેલ દ્વારા માલ મોકલવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાં શાકભાજી અને ફળોની સપ્લાય કરવામાં આવી રહી છે, તે પણ એસી કોચમાં. (સાંકેતિક ફોટો-pixlr)

માલવાહક ટ્રેનોને કારણે પેસેન્જર ટ્રેનોના સમયને અસર ન થાય તે માટે સરકારે એક સમર્પિત ફ્રેટ કોરિડોર પણ બનાવ્યો છે. આ પ્રકારના કોરિડોર પર માત્ર માલસામાનની ટ્રેનો જ ચાલે છે જેથી સમયસર સામાનની ડિલિવરી થઈ શકે. લાંબી ટ્રેનોમાં કોલસાની હેરફેર વધુ થશે. પાવર પ્લાન્ટમાં કોલસાની અછત ન રહે તે માટે વાસુકી જેવી લાંબી ટ્રેનો દોડાવવામાં આવશે.