
ઘરમાં બિનજરૂરી રીતે ઘણા બધા અરીસા રાખવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને અરીસા સામ સામે હોય તો તે રૂમમાં મૂંઝવણ ઊભી કરે છે અને ઘરમાં નકારાત્મકતા લાગે છે. ખાસ કરીને બેડ રુમમાં અરીસો ના લગાવવો જોઈએ પણ જો છે તો રાતના સમયે ઢાંકી દેવો જોઈએ અને એકથી વધારે રુમમાં અરીસા ના રાખજો.

ઉત્તર દિશા એ ધનના દેવતા કુબેરની દિશા છે. આ દિશામાં મૂકવામાં આવેલા અરીસા પ્રતિબિંબિત કરે છે અને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. પૂર્વ દિશા આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે. ડાઇનિંગ ટેબલની સામે મૂકવામાં આવેલો અરીસો ખોરાકની માત્રાને પ્રતિબિંબિત કરે છે, જે વાસ્તુમાં સૌભાગ્ય અને ખોરાકની વિપુલતામાં વધારો કરવા માટે માનવામાં આવે છે.

બે અરીસાઓ એકબીજાની સામે સીધા ન મૂકવા જોઈએ. આનાથી ઉર્જાનો વમળ ઉત્પન્ન થાય છે જે અશાંતિ અને ચિંતાનું કારણ બને છે.