
જો મંદિર સીડીની નીચે હોય,અને તમે સીડી ચઢીને જાવ તો તમારા પગ મંદિરની ઉપર આવે છે જે યોગ્ય નથી. ઘરનું મંદિર હંમેશા તમારી સામે હોય અથવા તમારી ઉપર હોવું જોઈએ.

જો મંદિર સીડીની નીચે હોય તો તે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. ઉપરાંત, સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં કૌટુંબિક મુશ્કેલીઓ સર્જાય છે

સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે પરિવારના સભ્યોની સફળતામાં અવરોધ ઉભો કરે છે. આ ઉપરાંત ઘરની સીડી નીચે મંદિર હોવાથી ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરવા લાગે છે.

જો સીડી નીચે મંદિર હોય, તો તે જગ્યાએથી મંદિર તોડીને ઘરની પૂર્વ દિશામાં મંદિર બનાવવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો તમે એક મંદિર ખરીદી શકો છો અને તેને પૂર્વ દિશામાં મૂકી શકો છો અને ભગવાનની સ્થાપના કરી શકો છો

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.