
જો તમે પણ ફાટેલા કપડા પહેરો છો તો તેનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે. તેથી, ફાટેલા કે જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

ઘણા લોકો ફાટેલા જીન્સ કે ટી-શર્ટ્સ પહેરે છે, પરંતુ કદાચ તેઓ જાણતા નથી કે ફાટેલા કપડાં તેમને ગરીબ બનાવી શકે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આમ તમારું નસીબ ચમકવાને બદલે, ખરાબ થતું રહેશે.

ફાટેલા અને ગંદા કપડા પહેરવાથી ઘરની સુખ-શાંતિને ખલેલ પહોંચે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આવા કપડાં પહેરવાની મનાઈ છે.

શુક્રને વૈભવ અને ભોગ-વિલાસનો સ્વામી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે ફાટેલા કપડાં પહેરો છો તો શુક્ર તમને નકારાત્મક અસરો આપવાનું શરૂ કરે છે. આથી તેનો ભોગ-વિલાસ અને સુખ-શાંતિ નષ્ટ પામે છે અને વ્યક્તિ ધીમે ધીમે ગરીબ થવા લાગે છે.
Published On - 1:27 pm, Sun, 13 July 25