
ઊર્મિએ જણાવ્યું કે, હું છેલ્લા 10 વર્ષથી તાલીમ લઈ રહી છું અને મારા પિતા મારા પ્રથમ ગુરુ છે અને બાદમાં હું ગુરુ શિષ્ય પરંપરા હેઠળ ડૉ. એન. રાજમ પાસેથી કળા શીખું છું. હું સારી રીતે પ્રગતિ કરી રહી છું અને સાંસ્કૃતિક સંસાધન અને તાલીમ કેન્દ્ર (CCRT)માં શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરી અને વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં યુવા કલાકારોની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે. શિષ્યવૃત્તિ જે મને મારા અભ્યાસ અને એક પર્ફોર્મિંગ કલાકાર તરીકેની કારકિર્દીને ટેકો આપવામાં મદદ કરશે.

ઉર્મી તેના પિતાના વારસાને આગળ ધપાવી રહી છે અને પોતાની જાતને જીવનમાં એક પરફોર્મિંગ કલાકાર તરીકે જોવા માંગે છે. તે સાઉન્ડ એન્જિનિયરની કળા પણ શીખી રહી છે કારણ કે તે તેની કારકિર્દીમાં મદદરૂપ થશે. તે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આગળ વધવા માંગે છે અને સંગીતની આ સફર ચાલુ રાખવા માંગે છે.

પારિવારિક વાતાવરણ સંગીતમય હોવાને કારણે ઊર્મિએ 5માં ધોરણથી વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. અને 9માં ધોરણથી ગુરુ શિષ્ય પરંપરા હેઠળ ડૉ. પ્રોફેસર એન. રાજમ પાસે શીખવાનું શરૂ કર્યું.

વાયોલિન વાદ્ય વગાડવું ખૂબ જ અઘરું હોવાથી ઊર્મિ દરરોજ રિયાઝ કરે છે. અને સાથે સાથે તેણીને કીબોર્ડ વગાડવામાં પણ રસ છે. ઉર્મી સતત માર્ગદર્શન માટે તેના પિતા પ્રોફેસર ડૉ. રાકેશ મહિસૂરી, પ્રોફેસર વિભાસ વસંત રાનડે અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પ્રો. (ડૉ.) એન. રાજમનો આભાર માને છે.
Published On - 11:25 pm, Sat, 29 July 23