રાહત બચાવની કામગીરીની વ્યાપક્તાને પરખીને વધુ અધિકારીઓની જરૂરિયાત જણાતા કલેક્ટરની સૂચનાથી નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિ દ્વારા વિવિધ કચેરીઓના 36થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સિટી અને રૂરલ પ્રાંત અધિકારી, મામલતદારો, નાયબ મામલતદારોને ડભોઇ તથા કરજણ પ્રાંતની મદદ માટે મૂકી દેવામાં આવ્યા હતા. આમ, સંકલિત પ્રયાસોને કારણે એક પણ જાનહાની અત્યાર સુધીમાં નોંધાઇ નથી. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં સતત રહીને સંકલનની કામગીરી સુપેરે નિભાવી હતી. મહેસુલ, પંચાયત, પોલીસ સહિતના તમામ સરકારી વિભાગોના સંયુક્ત પ્રચાસોથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.