
નવા સ્મશાનમાં 60 હજાર ફુટની જગ્યામાં બાંધકામ કરવામાં આવશે. જેમા 12 લાકડાઓની ચિતા બનશે. જ્યારે 4 ગેસની ચિતા બનશે. ગેસ ચિતામાં બે મૃતદેહ એકસાથે જાય તે પ્રકારની વ્યવસ્થા રહેશે. કોન્ક્રીટની પાકી છત સાથેનું ચિતા સ્થળ બનશે.

નવા સ્મશાનમાં 30 ટકા જગ્યામાં બાળકોનું સ્મશાન રહેશે. સ્મશાનની અંદરના માર્ગોની દીવાલોનું નવીનીકરણ કરવામાં આવશે. મરાઠી સમાજ માટે 70x70 ફૂટની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મોક્ષધામમાં બગીચા અને ફુવારા, રંગબેરંગી લાઈટીંગ સાથેની વ્યવસ્થા ઉભી કરાશે. લોકો સામાન્ય દિવસોમાં પણ અહીં બાળકોને લઈને આવી શકે, બેસી શકે તે પ્રકારની ફરવાના સ્થળ જેવી પણ સુવિધા અહીં રહેશે.

નવા સ્મશાનમાં વરસાદી સીઝનમાં લાકડા પાણીમાં પલળે નહીં તે પ્રકારની વ્યવસ્થા રહેશે. બે ઓફિસ, બે ટોયલેટ, અસ્થિ મુકવા માટેની ખાસ વ્યવસ્થા, આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ પ્લાન્ટ નાખવામાં આવશે. જેથી ધુમાડો બહાર નીકળે ત્યારે દુર્ગંધ ન ફેલાય તેવી વ્યવસ્થા રહેશે.
Published On - 12:08 am, Tue, 22 August 23