મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રો નવા આઈડીયા સાથે વિકસિત થવાનું છે-પરષોત્તમ રૂપાલા

|

Dec 30, 2023 | 5:56 PM

વેરાવળ ખાતે 'વિકસિત ભારત @ 2047: યુવાઓનો અવાજ' થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ની હાજરી મા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે  'વિકસિત ભારત @2047: યુવાઓનો અવાજ' કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યોજાયો હતો. પ્રધાન રુપાલાએ વેરાવળમાં કેન્દ્ર સરકારની મત્સ્ય ઉત્પાદનની દિશામાં હાથ ધરેલ પ્રયાસોની વાત કરી હતી.

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યોજાયો હતો. પ્રધાન રુપાલાએ વેરાવળમાં કેન્દ્ર સરકારની મત્સ્ય ઉત્પાદનની દિશામાં હાથ ધરેલ પ્રયાસોની વાત કરી હતી.

2 / 5
પરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન   મોદીએ મત્સ્યવિભાગને સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્યસંપદા, ઈન્ફાસ્ટ્રકચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં રૂ.37 હજાર કરોડની ફાળવણી કરી છે.

પરષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ મત્સ્યવિભાગને સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્યસંપદા, ઈન્ફાસ્ટ્રકચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં રૂ.37 હજાર કરોડની ફાળવણી કરી છે.

3 / 5
આગળ વાત કરતા કહ્યુ કે, ઇસરોના સાથે મળીને નવી ટેકનોલોજીથી કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કોમ્યુનિકેશનનની વ્યવસ્થાઓ વધુ સરળ બનવાની છે.

આગળ વાત કરતા કહ્યુ કે, ઇસરોના સાથે મળીને નવી ટેકનોલોજીથી કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કોમ્યુનિકેશનનની વ્યવસ્થાઓ વધુ સરળ બનવાની છે.

4 / 5
નેનો ટેકનોલોજીના ઉપયોગના કારણે આજે નેનો યૂરિયા થેલીઓને બદલે બોટલમાં ખેડૂતોને મળતું થયું હોવાની વાત પ્રધાને કરી હતી. આગળ પણ કહ્યુ કે, ડેરી ઉધોગ સહિતના ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ થકી આજે આપણે આગવું સ્થાન ધરાવતાં થયાં છીએ.

નેનો ટેકનોલોજીના ઉપયોગના કારણે આજે નેનો યૂરિયા થેલીઓને બદલે બોટલમાં ખેડૂતોને મળતું થયું હોવાની વાત પ્રધાને કરી હતી. આગળ પણ કહ્યુ કે, ડેરી ઉધોગ સહિતના ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ થકી આજે આપણે આગવું સ્થાન ધરાવતાં થયાં છીએ.

5 / 5
મત્સ્યોદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા આઈડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયાસો થી મોદીના વિકસિત ભારત-2047 વિઝનને સાકાર કરવાનું છે એમ તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિતોને કહ્યુ હતુ.

મત્સ્યોદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા આઈડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયાસો થી મોદીના વિકસિત ભારત-2047 વિઝનને સાકાર કરવાનું છે એમ તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિતોને કહ્યુ હતુ.

Published On - 5:01 pm, Sat, 30 December 23

Next Photo Gallery