મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અંગદાન મહોત્સવનો અમદાવાદથી પ્રારંભ, રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનુ વેઇટીગ ઘટાડવા તરફ સરકારની કામગીરી, જુઓ PHOTOS

|

Jul 30, 2023 | 4:13 PM

અંગદાન અને પ્રત્યારોપણના કાર્યને વેગવંતુ બનાવવા આ વર્ષના બજેટમાં નાણાંકીય જોગવાઈ કરી છે. મહત્વનુ છે કે ગેરમાન્યતાઓને લીધે નહીં થતા અંગદાનના કારણો જાણી યોગ્ય સમાધાન અંગે પ્રવુતિઓ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંગદાન મહોત્સવમાં કર્યું આહવાન

1 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  "અંગદાન મહોત્સવ"નો અમદાવાદ થી પ્રારંભ કરાવ્યો. આ દરમ્યાન તેમણે કહ્યું કે, કીડીને કણ, હાથીને મણ' ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  "અંગદાન મહોત્સવ"નો અમદાવાદ થી પ્રારંભ કરાવ્યો. આ દરમ્યાન તેમણે કહ્યું કે, કીડીને કણ, હાથીને મણ' ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે.

2 / 5
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત કરાઇ હતી. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ  ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત કરાઇ હતી. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
અંગદાન થી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા સમયે મુખ્યમંત્રીએ પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલા દેહદાનની વાતને વગોળી હતી. અને કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ, આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે.

અંગદાન થી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા સમયે મુખ્યમંત્રીએ પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલા દેહદાનની વાતને વગોળી હતી. અને કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ, આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે.

4 / 5
ગુજરાતમાં ગત વર્ષે 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને  નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા  સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે.

ગુજરાતમાં ગત વર્ષે 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે.

5 / 5
આ વર્ષ ના બજેટમાં અંગદાન અને પ્રત્યારોપણના સેવાકાર્યને વેગ મળે તે માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. મેડિકલ ટુરિઝમને વેગ મળે તે માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત વડોદરા જામનગર અને ભાવનગર જિલ્લામાં સુપર સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલ અને મેડિસિટીનુ નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું હોવાની પણ તેમણે વાત કરી હતી.

આ વર્ષ ના બજેટમાં અંગદાન અને પ્રત્યારોપણના સેવાકાર્યને વેગ મળે તે માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. મેડિકલ ટુરિઝમને વેગ મળે તે માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત વડોદરા જામનગર અને ભાવનગર જિલ્લામાં સુપર સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલ અને મેડિસિટીનુ નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું હોવાની પણ તેમણે વાત કરી હતી.

Next Photo Gallery