
મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવશે માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે

સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ હાલ હરિયાણાના માનસર ખાતે હનુમાનજી દાદાની આ મૂર્તિ બની રહી છે અને આગામી સપ્તાહમાં કાળી ચૌદશ પહેલા સપૂર્ણ કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન ચાલી રહ્યું છે, અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું અનાવરણ કરે તે માટે ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.(Input Credit - Urvish Soni)