
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે ૨ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી શરૂ કરાવી છે જેના ઉપર એસપી જાતે પણ દેખરેખ રાખી રહયા છે.

ઓએનજીસી ફ્લાય ઓવર બ્રીજ બંધ કરી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે જેને લઈને વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સંજાણ સમયે ટ્રાફિકના દ્રશ્યો ચિંતાજનક સ્વરૂપ ધારણ કરે છે

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ઓ.એન.જી.સી.બ્રીજ નીચેનો એક ભાગ બંધ કરવામાં આવતા ત્યાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બીજી તરફ વાહન ચાલકોએ રાજપીપળા ચોકડીથી ગડખોલ ગામને જોડતા માર્ગનો સહારો લેતા જ તે માર્ગ ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધ્યું હતું
Published On - 3:11 pm, Fri, 21 April 23