
ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત વન વિભાગ દ્વારા 3.53 કરોડના ખર્ચે ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરીને રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેવઘાટ પ્રવાસન ધામનો વિકાસ કરાતાં પ્રવાસીઓને હરવા ફરવાનું ઉત્તમ સ્થળ મળ્યું છે.

રાજ્ય સરકારે અહીં ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરતા આ પંથકના ખાસ કરીને ખેતી ઉપર નભતા લોકો માટે રોજગારીની તક ઊભી થઈ છે. ઉમરપાડા તાલુકાનાં જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામની સીમમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થયો છે.
Published On - 6:23 pm, Tue, 4 July 23