
બંધ ઘડિયાળ: જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ છે, તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે અને પછી જીવનમાં સ્થિરતા ઘટી જાય છે. આના માટે તમે કાં તો બંધ થયેલી ઘડિયાળ તાત્કાલિક રિપેર કરાવો અથવા તો તેને ઘરમાંથી બહાર ફેંકી દો.

ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન: આજકાલ ઘણા લોકો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેવી કે રેડિયો, મિક્સર, રિમોટ કે કમ્પ્યુટરના બગડેલા ભાગને એ વિચારથી રાખે છે કે, આ ભવિષ્યમાં કદાચ કામ આવી જશે. જો કે, વાસ્તુ અનુસાર આવી નિષ્ક્રિય અને બગડેલી વસ્તુઓ ઘરમાં રહેતી સકારાત્મક ઊર્જાને ધીમે ધીમે નાશ કરતી જાય છે. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે, તમારે કાં તો આવી વસ્તુઓ દૂર કરવી જોઈએ અથવા તો તેને રિપેર કરાવવી જોઈએ.

નકામા વાયરો: ઘણા લોકો જૂના વાયરો ભેગા કરીને રાખે છે. તમને જણાવી દઈએ કે, આ ગૂંચવાયેલા નકામા વાયરો પણ તમારા જીવનને ગૂંચવી શકે છે. આ તાર કે વાયરોથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આથી, નકામા વાયરોને તરત જ ઘરની બહાર કાઢો.

વાસ્તુદોષ દૂર કરવાના અન્ય ઉપાયો: ઘરને નિયમિતપણે સાફ કરવું પણ મહત્વપૂર્ણ છે. લગભગ દરેક રૂમમાં લાઇટ રાખવાનો પ્રયાસ કરો. જો પ્રકાશ કુદરતી હોય, તો તે વધુ સારું માનવામાં આવે છે. જો તમે ઘરમાં લીલા છોડ વાવો છો, તો ઉર્જા સારી રહેશે.