
ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.

ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?

ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.

તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.