TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Sep 03, 2022 | 11:46 PM
ભારતના એક રાજ્યમાં ભગવાન ગણેશની એવી મૂર્તિ છે, જે શિખર પર છે. કહેવાય છે કે ભગવાન પરશુરામ અને ગણપતિનો આ સંબંધ છે. જો તમે ગણેશ ઉત્સવના અવસર પર અલગ રીતે ગણપતિના દર્શન કરવા માંગો છો, તો તમારે અહીં અવશ્ય જવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.
ગણપતિની પ્રતિમાનું સ્થાન જોઈને તમારા મનમાં પ્રશ્ન અવશ્ય થશે કે આ ક્યા હશે ? આ મૂર્તિ ઢોલક ગણેશ તરીકે ઓળખાય છે અને તે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં છે. આ મુખ્ય સ્થાન બસ્તરના દંતેવાડા જિલ્લાનું ફરસપાલ ગામ છે, જ્યાં તે બૈલાદિલા ટેકરી પર આવેલું છે.
ગણપતિની આ ઐતિહાસિક પ્રતિમા લગભગ 3000 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી હતી અને તે આજે પણ એક રહસ્ય છે કે આખરે 3 ફૂટ ઊંચી પ્રતિમા કેવી રીતે ટેકરી પર મૂકવામાં આવી.
આ ગણેશ પ્રતિમા સાથે એક દંતકથા જોડાયેલ છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. આ માન્યતા આખા બસ્તરમાં પ્રચલિત છે અને લોકો અહીં મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચે છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે.
આ મૂર્તિમાં ભગવાન ગણેશ કુહાડી, તૂટેલા દાંત, માળા અને મોદક ધારણ કરેલા જોવા મળે છે. વર્ષ 2012માં આ પ્રતિમાના ફોટોઝ વાયરલ થયા હતા અને આજે પણ તે એક આકર્ષક પર્યટન સ્થળ છે. જો કે તે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં છે.