
ડાર્ક સર્કલની સમસ્યા દેખાવ કે સુંદરતા બગાડવાનું કામ કરે છે. ડાર્ક સર્કલ (Dark circles)થી છુટકારો મેળવવો સરળ નથી. આવો અમે તમને જણાવીએ કે ડાર્ક સર્કલ કયા કારણોસર થાય છે અને કયા ઉપાયોથી તેને ઘટાડી શકાય છે અથવા દૂર કરી શકાય છે.

ઉંઘની કમી છે કારણઃ ઘણા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે જો તમને ઓછી ઊંઘ લેવાની આદત હોય તો ડાર્ક સર્કલ થવાની શક્યતા છે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ફોનની આદત: ફોન વગર સામાન્ય જીવનની કલ્પના કરવી હવે સરળ નથી. ફોનનો ઉપયોગ કરવો એ હવે એક પ્રકારનું વ્યસન બની ગયું છે. પરંતુ દિવસ-રાત સ્ક્રીનિંગમાં સમય પસાર કરવાથી ત્વચા નિસ્તેજ દેખાય છે.

ખાટું ખાવું: બગડેલી લાઈફ સ્ટાઈલ ઉપરાંત, ખોટું ખાવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં, ત્વચાને પણ નુકસાન થાય છે. જંક ફૂડ અથવા અન્ય વસ્તુઓ ત્વચાને નિસ્તેજ અથવા કાળી બનાવે છે.

ડાર્ક સર્કલ માટે ઘરગથ્થુ ઉપચારઃ ત્વચાની કાળાશ દૂર કરવાના ઘણા ઉપાયો છે, જેમાંથી એક શ્રેષ્ઠ ઉપાય છે કાકડી અથવા બટાકાનો રસ. આ બંનેમાં તત્વો ત્વચાને સારી કરીને તેને ચમકદાર બનાવવાનું કામ કરે છે.

એલોવેરા કામમાં આવશેઃ ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે એલોવેરાનો સહારો પણ લઈ શકો છો. એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર એલોવેરા ત્વચાને સાજા કરવામાં શ્રેષ્ઠ છે.