
અક્ષર પટેલ ઈજાના કારણે પહેલા જ સીરિઝથી બહાર થઈ ચૂક્યો હતો એવા સંકેત હતા, પરંતુ રોહિતે જાણકારી આપી છે કે તે NCAમાં છે અને રિકવરી કરી રહ્યો છે અને રાજકોટમાં તે નહીં રમે.

બરોડાનો હાર્દિક પંડયા ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે પહેલી બે મેચમાં પણ ટીમમાં સામેલ ન હતો, રાજકોટમાં પણ તેને આરામ આપવામાં આવશે, તે રમશે નહીં પરંતુ રાજકોટમાં હાજર રહેશે.

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ સતત રમી રહ્યો છે જેથી વર્લ્ડ કપ પહેલા તેને આરામ આપવાનું ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રાજકોટમાં નહીં રમે, તેને પણ આરામ આપવામાં આવશે. શમી તેનું ફોર્મ અને ફિટનેસ મેળવી ચૂક્યો છે.

દમદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલ પણ રાજકોટમાં બેટિંગ કરતો નહીં જોવા મળે. તેને પણ વર્લ્ડ કપ પહેલા એક મેચમાં આરામ આપવામાં આવશે.