TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 02, 2022 | 5:17 PM
ખરાબ ડાયટ, જીવનશૈલી, આદતોને કારણે ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તેમાં પેટમાં દુખાવા જેવી સમસ્યા મુખ્ય છે. આ અહેવાલમાં તમને એ આદતો વિશે જાણવા મળશે કે કઈ આદતો પાચન સંબંધિત સમસ્યાનું કારણ બને છે.
તણાવ - કલાકો સુધી સ્ક્રીન પર રહેવાથી અને ખરાબ જીવનશૈલીને કારણે માનસિક સ્થિતિ પર અસર પડે છે. તેના લીધે પેટમાં એસિડ વધે છે. તેના થી પેટમાં ભૂખની કમી, અપચો, દુખાવો જેવી સમસ્યા થાય છે.
શારીરિક ક્રિયાની અછત - કામને કારણે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. તેના કારણે પેટમાં કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓ થાય છે. તેથી જ એક જ જગ્યાએ લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસવું જોઈએ. કામની વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ.
ઉંઘની અછત - જરુરી ઉંઘ ન લેવાય તો દિવસભર થાકનો અનુભવ થાય છે. તેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. ઉંઘની અછતને કારણે તણાવવાળા હાર્મોન વધી જાય છે. તેના કારણે પેટમાં દુખાવો થાય છે.
દારુનું સેવન વધારે હોય - જો તમે વધારે પ્રમાણમાં દારુ પીવો છો, તો તેની અસર પાચન તંત્ર પર પડે છે. તેથી દારુના વધારે પડતા સેવનથી દૂર રહેવું જોઈએ.