
અદાણી ગ્રૂપ 750 મિલિયન ડોલરનું દેવું રિફાઈનાન્સ કરવાની યોજના ધરાવે છે, જે કડક શરતો હેઠળ 2025 પછી ચૂકવવું પડશે. વધુમાં, અદાણી ગ્રૂપ તેના એરપોર્ટના અપગ્રેડેશન અને વિસ્તરણ માટે AAHLમાં $750 મિલિયન એકત્ર કરવાનું વિચારી રહ્યું છે, જેમાંથી $300 મિલિયન નવું દેવું હશે અને બાકીનું રિફાઈનાન્સ હશે.

અદાણી ગ્રુપ 2019 થી એરપોર્ટ બિઝનેસમાં છે અને હાલમાં તે ભારતનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર છે. તેના પોર્ટફોલિયોમાં અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, મુંબઈ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લેકરોક અને સિટાડેલ સાથે વાટાઘાટો ચાલી રહી છે અને ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જો કે કોઈ સોદો નિશ્ચિત નથી. અદાણી ગ્રૂપ અન્ય વૈશ્વિક સંસ્થાઓ સાથે પણ વાતચીત કરી રહ્યું છે, પરંતુ તેમના નામની પુષ્ટિ થઈ નથી.

સિટાડેલના પ્રવક્તાએ આ બાબતની કોઈપણ જાણકારીનો ઇનકાર કર્યો હતો અને અદાણી ગ્રુપ, બ્લેકરોક અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે પણ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.