
બુલેટ ટ્રેનનો ટ્રેક દિલ્હીના દ્વારકાથી શરૂ થશે. હરિયાણામાં બે સ્ટેશન બનશે. આ સ્ટેશનો ગુરુગ્રામ અને રેવાડીમાં બનાવવામાં આવશે. દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેનનો રૂટ એ રીતે પસંદ કરવામાં આવ્યો છે કે જેથી જમીન સંપાદન સરળતાથી થઈ શકે. આ માટે બુલેટ ટ્રેનનો ટ્રેક નેશનલ હાઈવે 48ની સમાંતર પસાર થશે.

ગુજરાતમાં બુલેટ ટ્રેનના ત્રણ સ્ટેશન બનાવવામાં આવશે. કુલ 15 સ્ટેશનો દ્વારકા (દિલ્હી), માનેસર (ગુરુગ્રામ), રેવાડી (હરિયાણા), બેહરોર, શાહપુરા, જયપુર, અજમેર, વિજય નગર, ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર, ડુંગરપુર (રાજસ્થાન), હિંમત નગર, ગાંધીનગર અને અમદાવાદ (ગુજરાત) છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)ના જોઈન્ટ જનરલ મેનેજર એમ.એસ.રાઠોડે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરતા પહેલા, જમીન સંપાદન, વિવિધ વિભાગો પાસેથી મંજૂરી અને એનઓસી, વૃક્ષો કાપવામાં 3 થી 4 વર્ષનો સમય લાગશે.