
ક્લેકટર નૈમેષ દવે, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગર પાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા.

હિંમતનગર શહેરના પ્રવેશ દ્વારે ભગવાન શ્રી રામનું વિશાળ કદની તસ્વીર મુકવવામાં આવી છે. મોતીપુર સર્કલ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક આ તસ્વીરને મુકવામાં આવી છે.

હિંમતનગર શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રામ રથના આયોજન ઉપરાંત શહેરમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. સોસાયટીઓ અને ઘરે ઘરે પણ રોશની અને સુંદર શણગાર સજાવેલો જોવા મળી રહ્યો છે.
Published On - 12:46 pm, Sun, 21 January 24