
ચંદ્રશેખર રાવે ચૂંટણી એફિડેવિટમાં અંદાજે 59 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એફિડેવિટ મુજબ રાવ પાસે પોતાની કાર નથી. રાવે કહ્યું છે કે તેમની સામે નવ કેસ પેન્ડિંગ છે, જે તેલંગાણા રાજ્યનો દરજ્જો ચળવળ દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને કોઈપણ ગુનાહિત કૃત્ય માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

કલવકુંતલા કવિતાનો જન્મ સોમવાર, 13 માર્ચ 1978 કરીમનગર, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેણે પોતાનું સ્કૂલિંગ સ્ટેનલી ગર્લ્સ હાઈસ્કૂલ, હૈદરાબાદમાં કર્યું. તેણે હૈદરાબાદના VNR વિજ્ઞાન જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી CSEમાં B.Tech અને યુનિવર્સિટી ઑફ સધર્નમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી લીધી છે.કે. કવિતાના પતિનું નામ દેવનપલ્લી અનિલ કુમાર જે બિઝનેસમેન છે. આ બંન્નેને 2 બાળકો આર્યા અને આદિત્ય છે.

ચંદ્રશેખર રાવે તેમની કારકિર્દીની શરૂઆત મેડક જિલ્લામાં યુથ કોંગ્રેસ પાર્ટી સાથે કરી હતી. રાવ 1983માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં જોડાયા અને એ. મદન મોહન સામે ચૂંટણી લડ્યા અને તે ચૂંટણી હારી ગયા. તેમણે સિદ્દીપેટ 1985 અને 1999 થી સતત ચાર વિધાનસભા ચૂંટણીઓ જીતી. 1987 થી 1988 સુધી, તેમણે મુખ્યમંત્રી એન.ટી. રામારાવની કેબિનેટમાં મંત્રી તરીકે કામ કર્યું. 1990 માં, તેમને મેડક નિઝામાબાદ અને આદિલાબાદ જિલ્લાઓ માટે TDP સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કે.સીઆરનો પુત્ર પણ રાજકારણમાં છે.

કેસીઆરના ભત્રીજા રાજ્યના નાણા અને આરોગ્ય પ્રધાન ટી હરીશ રાવે સિદ્ધિપેટથી આ વખતે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ચૂંટણીમાં ડબલ હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. 2004ની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.
