
શક્કરિયામાં પોટેશિયમની સાથે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. તેથી શક્કરિયાનું સેવન હૃદય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

શક્કરિયામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-આર્થરાઇટિસ ગુણ જોવા મળે છે. તેથી, જો તમને આર્થરાઈટિસ હોય ત્યારે શક્કરિયાનું સેવન કરો, તો તે આર્થરાઈટિસને કારણે થતા દુખાવો અને સોજામાં રાહત આપે છે.

કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે, પરંતુ જો તમે શિયાળામાં શક્કરિયાનું સેવન કરો છો તો તે હાડકાંને મજબૂત બનાવે છે. કારણ કે શક્કરીયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

શક્કરિયામાં વજન વધારા વિરોધી ગુણો જોવા મળે છે, તેથી જો તમે તમારા આહારમાં શક્કરીયાનો સમાવેશ કરો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શક્કરિયામાં વિટામિન એ જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

શક્કરીયાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો અને સોજો આવી શકે છે.

કેટલાક લોકોને શક્કરિયાથી એલર્જી હોય છે, આવી સ્થિતિમાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

જો કોઈને કિડની સ્ટોનની સમસ્યા હોય તો તેણે શક્કરિયાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો