
થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે અને આજુબાજુની મહિલાઓ અને પુરૂષોને રોજના ત્રણસોથી પાંચસૌ રૂપીયા રોજગારી પુરી પાડે છે.

નવરાત્રીમાં માંની ભક્તિ તેમજ આરાધના પર્વનુ અનેરૂ મહત્વ હોઇ છે, ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ હોઇ છે, થાનગઢના કારીગરો દ્રારા વર્ષોથી ગરબા બનાવવામાં આવે છે જેમા અલગ અલગ ડિઝાઇન પેઇન્ટિંગ કરીને ગરબાને અનેરૂ ઓપ આપવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન ભક્તો મંદિરમાં પણ ગરબો મુકતા હોઇ છે ત્યારે માં અંબાનું આરાધનાનું પર્વ નવરાત્રી આવે છે ત્યારે થાનગઢની ઉદ્યોગ નવરાત્રીમાં કોઇની રોજીરોટી માટે પણ મહત્વનું બન્યુ છે. (Input Credit: sajid Belim)
Published On - 7:09 am, Tue, 10 October 23