શિવજીને પ્રિય એવા બિલીપત્રના વૃક્ષ ઉપર ઉગતું ફળ એટલે બીલા. બીલાનું શરબત આરોગ્ય વર્ધક છે અને ગરમીમાં ઠંડક આપનારું છે. બિલાના શરબતથી એસિટિડી તેમજ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં વેચાતા બિલાના શરબતને પીવા લોકો દૂર દૂરથી આવે છે.
બીલાના શરબતને બનાવવા તેમજ તેના ગુણો જળવાઈ રહે તે માટે પાકા બિલાનો ઉપયોગ કરવામાં આવે છે. શરબત ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.
5 / 5
સુરતના રાંદેરમાં ઇમરાનભાઈ મનસૂર છેલ્લા ઘણા વર્ષોથી બિલાનું આરોગ્ય વર્ધક શરબત બનાવીને વેચે છે. ગરમીમાં લોકો ઇમરાનભાઇને ત્યાં વિવિધ શરબત પીવા આવે તેમાં સૌથી વધુ લોકપ્રિય બિલાનું શરબત છે. દેશ વિદેશમાં પણ લોકો અહીંયાથી બિલાનું શરબત લઇ જાય છે અને આ બોટલ 3 મહિના સુધી વાપરી શકાય છે (વિથ ઇનપુટ, સંજય ચંડેલ, સુરત ટીવી9)