
ભારતીય રેલવે એ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસથી યાત્રા કરતા યાત્રીઓને મેસેજ પહોંચાડયો છે કે આ ટ્રેન હવે સાબરમતી રેલવે સ્ટેશન પર નહીં રોકાશે.

સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી સાંજે 6.50 કલાકે ઉપડે છે.

10 જાન્યુઆરી પહેલા આ ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન પર રોકાતી હતી. એટલે જ કાલુપુરના સ્થાને સાબરમતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન પકડતા હતા. પરતું હવે સાબરમતી રેલવે સ્ટેશન પર આ ટ્રેન રોકાશે નહીં.

સાંજે 6.50 કલાકે ઉપડતી આ ટ્રેન 935 કિમીનું અંતર કાપીને બીજા દિવસે સવારે દિલ્હીમાં પ્રવેશે છે.

સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફલના, અજમેર, જયપુર, ગૌરેગાવ, દિલ્હી સેન્ટ્રલ જેવા સ્ટેશન પસાર કરીને સવારે 7.30 કલાકે ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચે છે.
Published On - 7:06 pm, Wed, 10 January 24