
ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની આશા વચ્ચે નવી પહેલ શરૂ થઈ છે. ટાસ્ક ફોર્સનું નેતૃત્વ યુગલ કિશોર જોશી કરશે.

ફોર્મ્યુલા-1 અને મોટરસ્પોર્ટ્સને પુનર્જીવિત કરવા માટે આ સમિતિ સમગ્ર વ્યવસ્થાનો અભ્યાસ કરશે અને જરૂરી નીતિ તૈયાર કરશે.

ટાસ્ક ફોર્સ સામે ટેક્સ અને અન્ય નિયમો જેવા પડકારો પણ રહેશે. રેસના આયોજન માટે કયા ફેરફાર જરૂરી છે તેની તપાસ કરવામાં આવશે.

2028માં ફોર્મ્યુલા-1 ગ્રાન્ડ પ્રિક્સ યોજી શકાય કે નહીં તેની શક્યતા પણ સમિતિ તપાસશે. રમતગમત, બિઝનેસ અને ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમાં સામેલ થશે.

ભારતમાં ફરી ફોર્મ્યુલા-1 રેસ યોજાવાની વાત નવી નથી. દેશમાં અગાઉ ત્રણ વખત ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન થયું હતું.

2011, 2012 અને 2013માં ગ્રેટર નોઇડાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર રેસ યોજાઈ હતી. ત્રણેય વખત સેબેસ્ટિયન વેટ્ટેલ વિજેતા બન્યો હતો.

ભારતમાં છેલ્લી ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ 27 ઓક્ટોબર 2013ના રોજ યોજાઈ હતી.

ત્યારબાદ ટેક્સ વિવાદ, ઊંચી લાઇસન્સ ફી અને અન્ય ખર્ચના કારણે રેસનું આયોજન બંધ થઈ ગયું હતું. (PC:PTI/X)
Published On - 5:45 pm, Tue, 15 September 26