વર્ષ 2013 બાદ ICC Knock outsમાં ભારતીય ટીમ દરેક વખતે રહી ફેલ
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને આજે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. આ સાથે ભારતીય ટીમ વધુ એક નોક આઉટ મેચમાં ફેલ રહી છે.
1 / 7
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2013માં છેલ્લી આઈસીસી ટ્રોફી જીતી હતી. તે સમયે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ચાલો જાણીએ ભારતીય ટીમનું આઈસીસી ટૂર્નામેન્ટમાં ત્યાર બાદનું પ્રદર્શન.
2 / 7
વર્ષ 2014માં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તે સમયે શ્રીલંકા એ ભારતને હરાવી આ ખિતાબ પોતાને નામ કર્યો હતો.
3 / 7
વર્ષ 2015માં ભારતીય ટીમે વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા સામે હાર મળી હતી.
4 / 7
વર્ષ 2016માં ભારતે T20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતને સેમીફાઈનલમાં હરાવી, ફાઈનલમાં પણ જીત મેળવી હતી.
5 / 7
વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યુ હતુ. જ્યાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી.
6 / 7
વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે હરાવી હતી. આ મેચમાં ધોનીના રન આઉટના દ્રશ્યો આજે પણ ભારતીય ચાહકોને યાદ છે.
7 / 7
આજે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની હાર મળી છે. ફરી એકવાર ભારતીય ટીમ નોકઆઉટ મેચમાં ફેલ રહી હતી.