
7 હોર્સ કલ્ચર, ચંદ્રયાન ત્રણ લેન્ડર અને રોવર, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્યમંદિર વગેરે સ્કલ્પ્ચર ઉપર કરવામાં આવેલ લાઇટિંગથી દિવસ કરતાં રાતનો અલગ જ સુંદર નજારો જોવા મળે છે.

ફ્લાવર શો જોવા માટે આવતા પ્રવાસીઓને માટેની ટિકિટનું વેચાણ 30,000 ઉપર પહોંચી જાય છે. શનિવાર અને રવિવારના દિવસોમાં ટિકિટનો ભાવ ₹25 વધારે હોવા છતાં પણ આવતા મુલાકાતીઓ માટેની ટિકિટનું વેચાણ 70,000ને ક્રોસ કરી જાય છે. આ ઉપરાંત બાળકો માટે વિના મૂલ્ય પ્રવેશ રાખવામાં આવ્યો છે. જેની ગણતરી કરવામાં આવે તો ફ્લાવર શોમાં આવતા શહેરીજનોની સંખ્યા ખૂબ જ વધી જાય છે.

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાલ ફ્લાવર શોનું આયોજન થયું છે. દરરોજ 18 હજારથી પણ વધારે શહેરીજનો આ ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે. શહેરમાં આવેલ ફ્લાવર શોમાં આ વર્ષે 15 લાખથી વધુ અલગ અલગ જાતિના ફૂલ અને છોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

30 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધીમાં આશરે 2,50,000 થી પણ વધારે બાળકો, યુવાનો, સિનિયર સિટીઝનો વગેરેએ ફ્લાવર શોનો દિવસ અને રાત્રીનો સુંદર અને નયન રમ્ય નજારો માણે તેવી શક્યતા છે.