
તેણે અન્નમય અને ભારતીય જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું જેના કારણે તેને ઓળખ મળી. કસ્તુરી શંકર હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. પરંતુ, તાજેતરના દિવસોમાં, તે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહી છે.

કસ્તુરી શંકરે તાજેતરમાં તમિલનાડુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેલુગુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે ઈવેન્ટ દરમિયાન કહ્યું કે તેલુગુ લોકો એ મહિલાઓના વંશજ છે જેમણે પ્રાચીન સમયમાં રાજાઓની સેવા કરી હતી.

તેમના નિવેદન બાદ તેલુગુ સમુદાયમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો અને આ વિવાદાસ્પદ નિવેદનને કારણે ચેન્નાઈના મદુરાઈમાં તેમની વિરુદ્ધ કાનૂની ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.

અભિનેત્રી પર આરોપ છે કે તેણે તેલુગુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ પછી, અધિકારીઓએ કાર્યવાહી કરી અને અભિનેત્રીને નોટિસ મોકલી, પરંતુ જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે તેઓએ જોયું કે તેનું ઘર તાળું છે અને તેનો ફોન પણ બંધ હતો. જે બાદ હવે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.