
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.