શિયાળામાં ACને કવર કરવું જોઈએ કે નહીં? આટલુ જાણી લેજો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
શિયાળો આવતાની સાથે જ એર કંડિશનરનો ઉપયોગ લગભગ બંધ થઈ જાય છે. શિયાળામાં, લોકો ઘણી વાર ACને કવર કરીને મુકી દેવું જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં રહે છે. જો તમે પણ AC નો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હોય તો ચાલો વિચાર કરીએ કે તમારે AC ને કવર કરવું જોઈએ કે નહીં.
1 / 6
ઉનાળાની ઋતુમાં એર કંડિશનર એ ઘરનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. ઉનાળામાં એસી વગર થોડા કલાકો પણ પસાર કરવા મુશ્કેલ બની જાય છે. જો કે હવે શિયાળાની ઋતુ શરૂ થવાની છે. હળવી ઠંડીએ શરૂ થઈ રહી છે. ઠંડી પડતાં જ એસીની જરૂરિયાત પૂરી થઈ જાય છે અને લોકો તેને પેક કરી દે છે. જો તમે પણ શિયાળો આવતાની સાથે જ એસી બંધ કરીને પેક કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.
2 / 6
જ્યારે શિયાળામાં ACની જરુરિયાત નથી હોતી ત્યારે લોકો વર્ષની લાસ્ટ સર્વિસ કરાવી દે છે, જ્યારે ઘણા લોકો તેને પેક કરવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરે છે. મોટાભાગના લોકો રૂમમાં ACને સ્પ્લિટ યુનિટને પેક કરે છે પરંતુ આઉટડોર યુનિટ વિશે ખૂબ મૂંઝવણમાં છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે શિયાળામાં ACના આઉટડોર યુનિટને કવર કરવું જોઈએ કે નહીં.
3 / 6
તમારું મોંઘું AC બગડી શકે છે : તમને જણાવી દઈએ કે જો તમે શિયાળાની ઋતુમાં સ્પ્લિટ ACને ખોટી રીતે રાખો છો તો તે તમારા ACને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે, જ્યારે તમને ઉનાળાની ઋતુમાં ફરીથી એસીની જરૂર પડે છે, ત્યારે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારે ઘણા પૈસા પણ ખર્ચવા પડી શકે છે. આવો અમે તમને એર કંડિશનરને ઢાંકવા સંબંધિત કેટલીક ખાસ વાતો જણાવીએ.
4 / 6
શિયાળાની ઋતુમાં આ વાતનું ધ્યાન રાખો : સૌથી પહેલા તો એસી કવર કરવું જોઈએ કે નહીં તે તમારા શહેરના હવામાન પર નિર્ભર કરે છે. જો તમારી જગ્યાએ વરસાદ પડે છે અથવા ઝાકળ પડે છે, તો તમારે ક્યારેય AC પેક ન કરવું જોઈએ. જો તમે AC પેક કરો છો અને તેની અંદર પાણી આવે છે, તો પાણી બહાર ન આવવાને કારણે યુનિટને કાટ લાગી શકે છે.
5 / 6
પોલીથીનનો ઉપયોગ આઉટડોર એસી યુનિટ માટે ક્યારેય ન કરવો જોઈએ. પોલીથીન હોવાને કારણે તેમાં ફૂગ, રસ્ટ અને જંતુઓ એકઠા થઈ શકે છે. જો તમે ACનું આઉટડોર યુનિટ પેક કરો છો તો તેમાં ઉંદરો, ખિસકોલી જેવા જીવો પોતાનું ઘર બનાવી શકે છે.
6 / 6
જો તમારે યુનિટ પેક કરવું હોય તો તમારે તેને કાપડ કે પોલીથીનની જગ્યાએ લાકડાના બોક્સમાં પેક કરવું જોઈએ. જો કે, ધ્યાનમાં રાખો કે લાકડાના બોક્સમાં બંધ એકમને એવી જગ્યાએ રાખવું જોઈએ કે ઉંદરો જેવા જીવો ત્યાં પહોંચી ન શકે.
Published On - 10:15 am, Thu, 17 October 24