
મિઝોરમમાં, આ સંસ્કૃતિને 'Nghah-lou-Dawr' કહેવામાં આવે છે. આ દુકાનો કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. હાઈ-વેની બાજુમાં બનેલી આ દુકાનોમાં શાકભાજી, ફળો ઉપરાંત માછલીઓ પણ વેચાય છે.

જેને સામાન ખરીદવો હોય તે દુકાનમાં રાખેલી થેલીમાં તેટલા પૈસા નાખે છે અને પછી ત્યાંથી વસ્તુઓ લઈ જાય છે. આ દુકાનો ચલાવવા પાછળનું કારણ એ છે કે જો દુકાનદારો દુકાનો પર બેસવા લાગે તો તેમની પાસે ખેતી માટે સમય જ નહીં રહે.