
ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાર વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ, ભારતીય સૈનિક દળ — આર્મી, નેવી અને એર ફોર્સના વાહનો, આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટેના NDRF વાહનોને પણ ટોલ ચૂકવવાની જરૂર નથી.

દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ટૂ-વ્હીલર (બાઇક) વાહનો પરથી ટોલ લેવામાં આવતો નથી. કારણ કે બાઇકનો વજન ઓછો હોય છે અને રસ્તાઓ પર તેની અસર ન્યૂન છે. આ માટે બાઇકો માટે FASTag ફરજિયાત પણ નથી.