Satyendra Nath Bose: મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન પણ હતા આ વ્યક્તિના ફેન, ગૂગલે બનાવ્યું તેમનું ડૂડલ

|

Jun 04, 2022 | 1:18 PM

સત્યેન્દ્રનાથ બોઝ (Satyendra Nath Bose) ભારતના મહાન વૈજ્ઞાનિકોની લિસ્ટમાં સામેલ વૈજ્ઞાનિક છે. તેમને તેમની સિદ્ધિઓથી દેશને ગૌરવ અપાવ્યું છે, અને વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પણ બન્યા.આજે તેમનો જન્મદિવસ છે. ગૂગલે તેમનું ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે. જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

1 / 5
સત્યેન્દ્રનાથ બોઝ (Satyendra Nath Bose) ભારતના મહાન વૈજ્ઞાનિકોની લિસ્ટમાં સામેલ  વૈજ્ઞાનિક છે. તેમને તેમની સિદ્ધિઓથી દેશને ગૌરવ અપાવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બન્યા. ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી 1894ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ ક્વોન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે તેમની વિશેષ સિદ્ધિ માટે જાણીતા છે.આજે તેમનો જન્મદિવસ પર ગૂગલે તેમનું ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે.

સત્યેન્દ્રનાથ બોઝ (Satyendra Nath Bose) ભારતના મહાન વૈજ્ઞાનિકોની લિસ્ટમાં સામેલ વૈજ્ઞાનિક છે. તેમને તેમની સિદ્ધિઓથી દેશને ગૌરવ અપાવ્યું છે અને વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ બન્યા. ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી 1894ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ ક્વોન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે તેમની વિશેષ સિદ્ધિ માટે જાણીતા છે.આજે તેમનો જન્મદિવસ પર ગૂગલે તેમનું ડૂડલ બનાવી તેમને યાદ કર્યા છે.

2 / 5
સત્યેન્દ્રનાથ બોઝ તેમના 7 ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે.તેમણે પ્રારંભિક શિક્ષણ કોલકાતાના નાદિયા જિલ્લાના બડા જગુલિયા ગામમાંથી મેળવ્યું હતું. તેમને ગણિત પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આ જ કારણથી તેમણે  ઈન્ટરમીડિયેટમાં ગણિતની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને અલગ-અલગ રીતે પ્રશ્નો હલ કરીને 100માંથી 110 માર્ક્સ મેળવી સૌને ચોંકાવી દીધા હતા.

સત્યેન્દ્રનાથ બોઝ તેમના 7 ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે.તેમણે પ્રારંભિક શિક્ષણ કોલકાતાના નાદિયા જિલ્લાના બડા જગુલિયા ગામમાંથી મેળવ્યું હતું. તેમને ગણિત પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આ જ કારણથી તેમણે ઈન્ટરમીડિયેટમાં ગણિતની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને અલગ-અલગ રીતે પ્રશ્નો હલ કરીને 100માંથી 110 માર્ક્સ મેળવી સૌને ચોંકાવી દીધા હતા.

3 / 5
સત્યેન્દ્ર નાથ બોઝ 1915માં ઉચ્ચ અભ્યાસ માટે પ્રેસિડેન્સી કોલેજ ગયા. અહીંથી એપ્લાઇડ મેથ્સમાં M.Sc કર્યું. 1916માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજમાં સંશોધન વિદ્વાન તરીકે દાખલ થયા અને થિયરી ઑફ રિલેટિવિટીનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે બોસ સ્ટેટિસ્ટિક્સ અને બોસ કન્ડેન્સેટની સ્થાપના કરી.

સત્યેન્દ્ર નાથ બોઝ 1915માં ઉચ્ચ અભ્યાસ માટે પ્રેસિડેન્સી કોલેજ ગયા. અહીંથી એપ્લાઇડ મેથ્સમાં M.Sc કર્યું. 1916માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજમાં સંશોધન વિદ્વાન તરીકે દાખલ થયા અને થિયરી ઑફ રિલેટિવિટીનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે બોસ સ્ટેટિસ્ટિક્સ અને બોસ કન્ડેન્સેટની સ્થાપના કરી.

4 / 5
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ તેમના મોટા પ્રશંસક રહ્યા છે. સત્યેન્દ્ર નાથ બોઝે 1920માં જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ મિકેનિક્સનું ફોર્મ્યુલેશન મોકલ્યું હતું. જેમણે તેમની સિદ્ધિને ઓળખી અને પ્રશંસા કરી.તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે નજીકથી કામ કર્યું અને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ તેમના મોટા પ્રશંસક રહ્યા છે. સત્યેન્દ્ર નાથ બોઝે 1920માં જર્મન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ મિકેનિક્સનું ફોર્મ્યુલેશન મોકલ્યું હતું. જેમણે તેમની સિદ્ધિને ઓળખી અને પ્રશંસા કરી.તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે નજીકથી કામ કર્યું અને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી.

5 / 5
સત્યેન્દ્ર નાથ બોઝને 'ફાધર ઓફ ગોડ પાર્ટિકલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોડ પાર્ટિકલને 'હિગ્સ બોસોન' કહેવામાં આવે છે. આમાં 'હિગ્સ'નું નામ બ્રિટિશ વૈજ્ઞાનિક પીટર હિગ્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 'બોઝોન'નું નામ સત્યેન્દ્ર નાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું.1954માં ભારત સરકારે તેમને તેમની સિદ્ધિઓ માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા.

સત્યેન્દ્ર નાથ બોઝને 'ફાધર ઓફ ગોડ પાર્ટિકલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોડ પાર્ટિકલને 'હિગ્સ બોસોન' કહેવામાં આવે છે. આમાં 'હિગ્સ'નું નામ બ્રિટિશ વૈજ્ઞાનિક પીટર હિગ્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 'બોઝોન'નું નામ સત્યેન્દ્ર નાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું.1954માં ભારત સરકારે તેમને તેમની સિદ્ધિઓ માટે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા.

Next Photo Gallery