બે મિસકેરેજ અને 7 વાર IVF Fail થયા બાદ પણ સાંભળ્યા ટોણા, જુડવા દીકરાની માં બન્યા બાદ Sambhavna Seth નું છલકાયું દર્દ

અભિનેત્રી સંભાવના સેઠે 2 ગર્ભપાત અને 7 IVF નિષ્ફળતા બાદ જોડિયા બાળકોનું સ્વાગત કર્યું છે. આ મુશ્કેલ યાત્રામાં તેમને સામાજિક ટીકા અને ટોણાનો સામનો કરવો પડ્યો હતો, છતાં પતિના અતૂટ સમર્થનથી તેઓ મક્કમ રહ્યા.

| Updated on: Jun 24, 2026 | 7:52 PM
1 / 6
Sambhavna Seth : ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠે તાજેતરમાં લાંબી રાહ અને અનેક મુશ્કેલીઓ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. સંભાવના પોતાના યુટ્યુબ વ્લોગ દ્વારા ચાહકો સાથે પોતાના જીવનની દરેક મહત્વપૂર્ણ ક્ષણ શેર કરતી રહે છે. તાજેતરમાં માતા બન્યા બાદ તે પહેલી વખત કામ પર પરત ફરી હતી અને "તુમ હો ના"ના સેટની મુલાકાત દરમિયાન પોતાના જીવનના સંઘર્ષો અને દુઃખદ અનુભવો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.

Sambhavna Seth : ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠે તાજેતરમાં લાંબી રાહ અને અનેક મુશ્કેલીઓ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. સંભાવના પોતાના યુટ્યુબ વ્લોગ દ્વારા ચાહકો સાથે પોતાના જીવનની દરેક મહત્વપૂર્ણ ક્ષણ શેર કરતી રહે છે. તાજેતરમાં માતા બન્યા બાદ તે પહેલી વખત કામ પર પરત ફરી હતી અને "તુમ હો ના"ના સેટની મુલાકાત દરમિયાન પોતાના જીવનના સંઘર્ષો અને દુઃખદ અનુભવો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.

2 / 6
સંભાવનાએ જણાવ્યું કે મિસકેરેજ જેવી દુઃખદ ઘટના બાદ સહાનુભૂતિ મળવાને બદલે તેને લોકોની ટીકા અને ટોણાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તેને મિસકેરેજ થયો, ત્યારે કેટલાક લોકોએ તેને જ જવાબદાર ઠેરવી હતી. લોકો કહેતા હતા કે ગર્ભાવસ્થા દરમિયાન શોપિંગ કરવા જવું અથવા મુસાફરી કરવી એ કારણ હોઈ શકે છે. જોકે, ડોક્ટરો સાથેની ચર્ચા બાદ તેને સ્પષ્ટ થયું કે આવી માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

સંભાવનાએ જણાવ્યું કે મિસકેરેજ જેવી દુઃખદ ઘટના બાદ સહાનુભૂતિ મળવાને બદલે તેને લોકોની ટીકા અને ટોણાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે તેને મિસકેરેજ થયો, ત્યારે કેટલાક લોકોએ તેને જ જવાબદાર ઠેરવી હતી. લોકો કહેતા હતા કે ગર્ભાવસ્થા દરમિયાન શોપિંગ કરવા જવું અથવા મુસાફરી કરવી એ કારણ હોઈ શકે છે. જોકે, ડોક્ટરો સાથેની ચર્ચા બાદ તેને સ્પષ્ટ થયું કે આવી માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

3 / 6
તેણે વધુમાં કહ્યું કે સમાજ ઘણીવાર ગર્ભવતી મહિલાઓ પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેઓ ઘરમાં જ રહે અને સામાન્ય જીવન જીવવાનું ટાળે. સંભાવનાના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા કોઈ ગુનો નથી અને મહિલાઓએ આ સમયગાળા દરમિયાન પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે.

તેણે વધુમાં કહ્યું કે સમાજ ઘણીવાર ગર્ભવતી મહિલાઓ પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેઓ ઘરમાં જ રહે અને સામાન્ય જીવન જીવવાનું ટાળે. સંભાવનાના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા કોઈ ગુનો નથી અને મહિલાઓએ આ સમયગાળા દરમિયાન પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે.

4 / 6
સંભાવનાએ પોતાના બીજા મિસકેરેજ અંગે વાત કરતાં જણાવ્યું કે જે દિવસે તે ચાહકો સાથે પોતાની ગર્ભાવસ્થાના સમાચાર શેર કરવાની હતી, તે દિવસે સ્કેન દરમિયાન જાણવા મળ્યું કે બાળકનું હૃદય લગભગ 15 દિવસ પહેલાં જ ધબકવાનું બંધ થઈ ગયું હતું. આ ઘટના તેના માટે અત્યંત આઘાતજનક હતી. દુઃખની આ ક્ષણમાં પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેની પીડા સમજવાને બદલે વધુ પ્રશ્નો અને ટીકાઓ કરી હતી. તેણે જણાવ્યું કે લોકો સતત પૂછતા હતા કે તે વધુ મુસાફરી કેમ કરે છે, વધુ ચાલે છે કે શોપિંગ મોલમાં કેમ જાય છે. આવા પ્રશ્નોએ તેની માનસિક પીડામાં વધુ વધારો કર્યો હતો.

સંભાવનાએ પોતાના બીજા મિસકેરેજ અંગે વાત કરતાં જણાવ્યું કે જે દિવસે તે ચાહકો સાથે પોતાની ગર્ભાવસ્થાના સમાચાર શેર કરવાની હતી, તે દિવસે સ્કેન દરમિયાન જાણવા મળ્યું કે બાળકનું હૃદય લગભગ 15 દિવસ પહેલાં જ ધબકવાનું બંધ થઈ ગયું હતું. આ ઘટના તેના માટે અત્યંત આઘાતજનક હતી. દુઃખની આ ક્ષણમાં પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેની પીડા સમજવાને બદલે વધુ પ્રશ્નો અને ટીકાઓ કરી હતી. તેણે જણાવ્યું કે લોકો સતત પૂછતા હતા કે તે વધુ મુસાફરી કેમ કરે છે, વધુ ચાલે છે કે શોપિંગ મોલમાં કેમ જાય છે. આવા પ્રશ્નોએ તેની માનસિક પીડામાં વધુ વધારો કર્યો હતો.

5 / 6
આ દરમિયાન સંભાવનાએ પોતાના પતિ અવિનાશના સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. તેણે જણાવ્યું કે અવિનાશે ક્યારેય સંતાન માટે તેના પર કોઈ દબાણ કર્યું નહોતું. અવિનાશે હંમેશા તેને કહ્યું કે જો સંતાન ન પણ થાય તો પણ કોઈ ફરક પડતો નથી અને તે દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે. બંનેએ મળીને તમામ પડકારોનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન સંભાવનાએ પોતાના પતિ અવિનાશના સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. તેણે જણાવ્યું કે અવિનાશે ક્યારેય સંતાન માટે તેના પર કોઈ દબાણ કર્યું નહોતું. અવિનાશે હંમેશા તેને કહ્યું કે જો સંતાન ન પણ થાય તો પણ કોઈ ફરક પડતો નથી અને તે દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે. બંનેએ મળીને તમામ પડકારોનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો.

6 / 6
ઉલ્લેખનીય છે કે સંભાવના સેઠે બે મિસકેરેજ અને સાત નિષ્ફળ IVF પ્રયાસો બાદ અંતે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે, જે માતૃત્વ માટે લાંબી અને મુશ્કેલ લડત લડી રહી છે.

ઉલ્લેખનીય છે કે સંભાવના સેઠે બે મિસકેરેજ અને સાત નિષ્ફળ IVF પ્રયાસો બાદ અંતે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે, જે માતૃત્વ માટે લાંબી અને મુશ્કેલ લડત લડી રહી છે.

Follow Us